નવા રતનપરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સરપંચ ગૌતમ બારૈયા એકતરફ બુલડોઝર ફેરવવા મક્કમ, બીજીતરફ સદસ્ય પ્રવીણ મકવાણાના કાનૂની દાવપેચ અને પંચરોજકામમા સરપંચની સહીથી નવો વળાંક: સરપંચે સેટીંગ કરી લીધું હોવાની ફરી એકવાર ચર્ચા
નવા રતનપરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સરપંચ ગૌતમ બારૈયા એકતરફ બુલડોઝર ફેરવવા મક્કમ, બીજીતરફ સદસ્ય પ્રવીણ મકવાણાના કાનૂની દાવપેચ અને પંચરોજકામમા સરપંચની સહીથી નવો વળાંક: સરપંચે સેટીંગ કરી લીધું હોવાની ફરી એકવાર ચર્ચા ડિમોલિશન પૂર્વે જ વિસ્તરણ અધિકારી દવેની હાજરીમાં કરાયેલા પંચરોજકામે સરપંચને જ શંકાના દાયરામાં ઉભા કર્યા; મોલ પ્રવીણનો નહીં પણ તેના પિતાનો હોવાનો અને કોર્ટ…
નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની ઐતિહાસિક કાર્યવાહી: પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર આજે 11:00 વાગે તોડી પાડવા બુલડોઝર તૈયાર
સામાજિક સેવાના ઓથા હેઠળ પંચાયતની સરકારી જમીન પચાવી પાડનાર અને દાદાગીરી કરનાર પ્રવીણ મકવાણા સામે આજે સવારે 11 વાગ્યે યોજાશે ડિમોલિશનની કાયદેસરની આકરી કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર / ભાવનગર ગ્રામ પંચાયતોમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અને બાહુબલીઓની દાદાગીરી સામે સરકારે અને સ્થાનિક તંત્રોએ કડક વલણ અપનાવ્યું છે, ત્યારે નવા…
ભાણવડના શિવ બળદ આશ્રમમાં આસરો લઈ રહેલા બળદોએ માણી 1250 કિલો ઓર્ગેનિક કેરીની મોજ
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે અશક્ત અને નિરાધાર બળદોને આજીવન આશરો આપતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘શિવ બળદ આશ્રમ’ ઉત્તમ સુવિધાઓ અને પૌષ્ટિક આહાર માટે જાણીતું છે. હાલ કેરીની સિઝનમાં અહીંના મૂંગા જીવો પણ આ સ્વાદથી વંચિત ન રહે તે માટે એક અનોખું આયોજન કરાયું…
Accused acquitted in Mandali cheque return case
– Complainant failed to prove the debt – Jam Khambhaliya, Date 09-06-2026 In the period of August 2021, an Assamese named Vinodbhai Ranabhai Babaria took a loan of Rs. five lakh from the Credit Co-operative Society Mandali. After that, the accused could not pay the loan installments regularly. As a result of the remaining dues,…
બીમારીથી કંટાળીને સોનારડીના વૃદ્ધએ ગળાફાંસો ખાધો
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા પ્રભાતસંગ કશરાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધને છેલ્લા આશરે 25 વર્ષથી ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારી હતી. આ બીમારીથી કંટાળીને તેમણે ગઈકાલે સોમવારે પોતાની વાડીએ લાઈટના થાંભલામાં લાઈટના કેબલ વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર લખુભા…
ખંભાળિયાની ગોવર્ધનનાથજીની હવેલીમાં ગુરુવારે જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરાશે
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬ ખંભાળિયામાં ન્યુ સલાયા ગેઈટ નજીક આવેલી જૂની અને જાણીતી શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળાની ઋતુમાં મધ્યમ વર્ગના તથા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રમાં દરરોજ આશરે 170 જેટલા લાભાર્થીઓ લાભ લ્યે છે. આ સેવાકીય પ્રવૃતિ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને દરીયાકાંઠે કે ક્રિક વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી. જુન માસથી દરીયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમી છે….
ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાએ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર રજૂ કર્યું
– હવે સંસદમાં હાલારના ત્રણ સાંસદ રહેશે – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬ સમગ્ર રાજ્યમાંથી ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ માટેના ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ખંભાળિયાના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનું પણ નામ જાહેર થતાં ખંભાળિયા સાથે સમગ્ર હાલાર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હાલાર પંથકના ત્રણ સંસદ…
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
– મહિલાઓ સહિત છ ઝડપાયા – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬ ખંભાળિયા વિસ્તારમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં જામનગર રેલવે ફાટક પાસે આવેલા એક મંદિરની બાજુમાં કૃષ્ણનગર 3 (ધરમપુર) ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ…
ખંભાળિયા નજીક પુલ પરથી પટકાતા યુવાનનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા ભુપતભાઈ મોતીભાઈ રાઠોડ નામના 45 વર્ષના યુવાન કોઈ કારણોસર અકસ્માતે આ ગામના પુલ નીચે પડી જતા તેમને માથાના તથા કપાળના ભાગોમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ શાંતિલાલ ગોવિંદભાઈ રાઠોડએ અહીંની પોલીસને કરી છે….
